મોડાસાના વરથુ ગામમાં ખેતરમાં લાગેલી આગથી ખેડુતોને લાખોનું નુકસાન

તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વિજવાયરો ન હટાવતા ખેડુતોને વ્યાપક નુકસાન થયુ છે. વિજવાયરમાંથી તણખા ઝણતા વરથુ ગામના હિરાભાઈ, દિનેશભાઈ અને રામાભાઈ નામના ખેડુતનાં ખેતરમાં આગ લાગી હતી. ત્રણેય ખેડુતોએ પૈસાનું રોકાણ કરી અને અર્થાગ મહેનત કરી પાકની વાવણી કરી હતી. પરંતુ આગના પગલે તેમને લાખો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક આવી પડેલી મુશ્કેલીથી ત્રણેય ખેડુતોમાં ચિંતા પ્રસરી છે. નવાઈની વાત એ છે કે, ખેતર ઉપરથી પસાર થતો વિજવાયર ઢીલો હોવાની ફરીયાદ હજુ 10 દિવસ પહેલા જ તેમણે વિજવિભાગને કરી હતી . પરંતુ તંત્રએ તેમની રજુઆત કાને ન ધરતા આખરે આ દુર્ઘટના સર્જાય અને તેમનો પાક બળીને ખાખ થઈ ગયો.

અરવલ્લીથી હિતેન્દ્ર પટેલનો રિપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *