પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીંચાંદના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.આ તહેવારને લઈને સિંધીસમાજ દ્વારા પોતાના વેપારધંધા પણ બંધ રાખવામા આવ્યા હતા.નગરમાં આવેલા ઝુલેલાલ મંદિર ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનોઓ ભગવાન ઝુલેલાલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.ચેટીચાંદ પર્વને લઈ એકબીજાને શુભકામનાઓ પાઠવામા આવી હતી.
પંચમહાલ જીલ્લામા સિંધી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. શહેરાનગરમા પણ સિંધી સમાજ પોતાના વેપારધંધા સાથે સંકળાયેલો છે.સમાજના મોટા ગણાતા પર્વ એવા ચેટીચાંદના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.સિંધી સોસાયટી ખાતે ભગવાન ઝુલેલાલનુ મંદિર આવેલુ છે.તેથી સવારથી જ મોટી સંખ્યામા સિંધી સમાજના ભાઈઓ,બહેનો,યુવાનો અને વડીલોએ ભગવાન ઝુલેલાલના દર્શન કરવા મંદિરે પહોચી ગયાં હતાં.આ પર્વની ઉજવણી માટે સૌ ભાઈઓ બહેનો નવા કપડા પહેરીને નજરે પડતા હતા.ચેટીચાંદ પર્વની એકબીજાને હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી. સાંજના સમયે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં સાથે ડીજેના તાલે આયો લાલ ઝુલેલાલના ગીત પર સૌ કોઇ ઝુમી ઉઠી, આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
શહેરાથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ