ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 500થી વધુ બહેનોએ જિલ્લા સેવા સદને પહોંચી સુત્રોચ્ચાર કર્યાં
ગીર સોમનાથ સેવા સદન ખાતે 500થી વધુ આશાવર્કર અને ફેસિલેટર બહેનો ભારતીય મજદૂર સંધના નેજા હેઠળ આક્રોશભેર ઉમટી પડી હતી. સુત્રોચ્ચાર કરી પડતર માંગણીઓને લઇ રેલીનું આયોજન કર્યું હતું. આ બહેનોએ જુદા-જુદા મુદ્દાઓના નિરાકરણની માંગ સાથે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદપત્ર પાઠવ્યું હતું.15 હજારથી પણ વધારે બહેનો ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર અને ફેસેલિટર બહેનો આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે.આશાવર્કર બહેનોનું કહેવું છે કે 15 વર્ષથી તેમના પ્રશ્નનો અધ્ધરતાલ આજદિન સુધી સરકારે કોઇ ઉકેલ લાવી નથી.જેથી આગામી એક માસમાં આ વાતનો નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આશા વર્કર તથા આશા ફેસેલીટર બહેનોએ ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગત્ત તા.13 જુલાઇ 2024ને શનિવારના રોજ આશા કર્મચારીઓની કારોબારી બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. જેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં રાજ્યના દરેક જિલ્લાકક્ષાએથી આવેદનપત્ર આપવાનું સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનોના વિવિધ પ્રશ્નો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર કરવા છતાં પણ આજદિન સુધી સરકાર તરફથી તેમના હ્યદને ઠંડક મળે તેવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.તેથી આશા બહેનોએ આક્રોશભેર મુખ્યમંત્રીને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે જો આ માંગ એક માસમાં નહીં સ્વીકારવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આવેદનપત્રમાં રજૂ કરેલા મુદ્દા
1 PMJYનું ઈન્સટીવનું ચુકવણું આજદિન સુધી કરવામાં આવ્યું નથી.
2 આશા વર્કર અને ફેસીલીટર બહેનોને દર માસના અંતે તમામ ચુકવણું સમયસર આપવામાં આવે તો તેમના ઘર આવી મોંઘવારીમાં ચાલી શકે તેમ છે.
3 દેશના તમામ આશાવર્કર બહેનોને ઓછામાં ઓછું 18000/રુ, અને ફેસીલીટર બહેનો 24000/ રુપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે.
4 હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બહેનોને ગુંચવાડી ઉભી થાય છે તો, ઇન્સેટીવન. 50% તથા 2500નો વધારાનું ચુંકવણું મહિનાના અંતે એક જ સાથે હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી.
5 આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોને સામાજીક સુરક્ષાના દાયરામાં સમાવેશ કરવામાં આવે (EPF/ESIC)
6 આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોને ડ્રેસ એક જ સરખો આપવામાં આવે છે તો તે બદલીને અલગ અલગ આપવામાં આવે અને જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનું હોય તેવી વ્યવસ્થા કરવી.
7 આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોને દરેક મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવે.
8 આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોને સેવા નિવૃત ઉપર 10 લાખ રુપિયા ચુકવવામાં આવે.
9 આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનોને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને 10 લાખ રુપિયા ચુકવવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે.
10 જે નવા બહેનો આશામાં લીધેલા છે.એમને 50% ઇન્સેટીવ કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર છે તે ચુકવણું આજદિન સુધી કરવામાં આવ્યું નથી તો તેની ચુકવણીની વ્યવસ્થા કરવી.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ