મલેકપુર બજારમાં હર ઘર તિરંગા’ અભિયાન તથા 15મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

આઝાદીના 77 વર્ષ પૂર્ણ કરી 78 માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે ત્યારે સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન ભારત દેશમાં કરવામાં આવી આવી રહ્યું છે.ત્યારે મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં આજરોજ ‘હર ઘર તિરંગા’ અભિયાન તથા 15મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.

લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.કે ઠાક્કર તેમજ પો.સ્ટેના પોલીસ કર્મચારી, હોગા, જી.આર. ડી. તથા આજુબાજુ ગ્રામ વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકો તેમજ મલેકપુર બજારના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.જયારે “ભારત માતા કી જય” “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ મલેકપુર બજાર ગુંજી ઉઠ્યું હતું.ભવ્ય તિંરગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા.આ ત્રિરંગા યાત્રા મલેકપુર બજારના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ યાત્રાનુ સમાપન કરવામાં આવેલ હતું.

મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1.5 / 5. Vote count: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *