વાપી ભડકમોરા અને વલસાડ સહિત જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત

વલસાડ, વાપી, ભડકમોરા અને વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વાપીના ડો. આંબેડકર નગર અને ભડકમોરા વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોના ઘર ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમના ઘરોમાં પાણી ઘુસી જવાને કારણે ખાદ્યપદાર્થો પણ બગડી ગયા છે.

ડો.આંબેડકર નગરની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે, જ્યાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો પોતાના ઘરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારે વરસાદને કારણે આ કામ વધુ મુશ્કેલ બની ગયું છે. ભડકમોરાની ગરીબ વસાહતોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે અસર થઈ છે. પૂર જેવી સ્થિતિને કારણે સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે, પરંતુ હજુ સુધી રાહત કાર્યમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. વાપી, ભડકમોરા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતાં લોકોનો રોષ વધી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે વહીવટીતંત્ર વહેલી તકે રાહત કાર્ય શરૂ કરે અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરે, જેથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો વરસાદ આ રીતે ચાલુ રહેશે તો સ્થિતિ વધુ વણસી શકે છે અને લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડી શકે છે. વહીવટીતંત્ર અને સરકાર આ સ્થિતિને વહેલી તકે કાબૂમાં લેવા માટે પગલાં ભરે તેવી અપેક્ષા છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *