શહેરા- ઉપરવાસમા વરસાદ બંધ થતા પાણીની આવકમા ઘટાડો નોધાતા પાનમ ડેમના ચાર ગેટ બંધ કરાયા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા પાનમ ડેમના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એકબાજુ પાણીની નવી આવકથી ડેમ છલોછલ ભરાઈ ગયો છે. તંત્ર દ્વારા પાંચ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા.જેના કારણે નદીમા બે કાંઠે વહેતી જોવા મળી હતી. હાલમા ચાર દરવાજા બંધ કરી દેવામા આવ્યા છે. અને એક ગેટ ખુલ્લો રાખીને પાણી છોડવામાં આવી રહ્યુ છે.

પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમા પાણીથી સારી આવક થવા પામી છે.શહેરા તાલુકાના કોઠા ગામ પાસે આવેલા પાનમડેમ આ વખતે 94 ટકા ભરાઈ ગયો છે. પાછલા દિવસોમા પડેલા વરસાદને પગલે આ વર્ષે ડેમમા દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પાનમડેમ તંત્ર દ્વારા પાણીનુ લેવલ ભયજનક સપાટી પર પહોચતા પાંચ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલમા ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઓમાન તરફ જતા રહેતા વરસાદે વિરામ લીધો છે,સાથે સાથે પાનમ ડેમના ઉપરવાસમા વરસાદ ઓછો થતા પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના પગલે પાનમ વિભાગ દ્વારા જે પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે,તેમાથી ચાર દરવાજા બંધ કરી દેવામા આવ્યા છે. પાનમ વિભાગ દ્વારા પાસેથી મળતી માહિતી અનુસાર પાનમ ડેમમા પાણીની આવકમા ઘટાડો જોવા મળ્યો છે. પાનમ ડેમમા પાણીની આવક હાલ 3500 ક્યુસેક છે. જ્યારે જાવક 1424 ક્યુસેક નોંધાઈ છે.માત્ર એક દરવાજો ખોલીને ડેમમા પાણી છોડવામાં આવી રહ્યુ છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *