બાલાસિનોરની સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં મહીસાગર જિલ્લામાં આવેલ સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” કાર્યક્રમ અંતર્ગત કોલેજના પ્રોફેસરો અને વિધાર્થીઓ જોડાઇ સ્વચ્છતા સંકલ્પ લીધા હતા.માં ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંકલ્પ લીધા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો કે તેઓ પોતે ગંદકી કરશે નહિ કે અન્ય દ્વારા થવા દેશે નહિ. જેથી આ સંકલ્પને સાર્થક કરતાં તમામ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસની સાફ સફાઈ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ડૉ.દિલીપ ઓડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય જાગૃતિ જોશીએ વિદ્યાર્થીઓએ આર્શીવચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા. સેજલ ગામિત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *