શહેરા નગરપાલિકા સ્વસ્થ રહે માટે રાત્રીના સમયે સાફસફાઇ અભિયાન શરુ

-પાલિકા થઇ ખડેપગે, જાહેરમાં કોઇએ કચરો ફેંક્યો, તો તેની ખેર નહીં

શહેરા નગરમાં જાહેરમાં ગંદકી કરનાર કે કચરો ફેંકનારની ખેર નહીં.પાલિકા તંત્ર દ્વારા સફાઇ કર્મચારીઓને સોપેલા વોર્ડ પર સફાઇ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.સાથોસાથ રાત્રીના સમયે ડોર ટુ ડોર સુવિધાઓ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.શહેરા નગરપાલિકાની ટીમે નગરના વિવિધ વિસ્તારોમાં જઇ ગંદકી કરનારાઓ પર કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે.વિવિધ વોર્ડમાં મચ્છર તેમજ ગંદકીનો ઉપદ્રવ ન વધે તેના માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે.

પંચમહાલના શહેરા નગર પાલિકામા આવેલા વોર્ડમાં ગંદકીના ઢગ ના થાય અને સાફસફાઈ રહે તે માટે સફાઈકર્મચારીઓને સુચના આપી દેવામા આવી છે. જેના પગલે સફાઈ કર્મચારીઓ દ્વારા વિસ્તારોમા સાફસફાઈ કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ નગરમા આવેલા વોર્ડ વિસ્તારમા તપાસ હાથ ધરી રહ્યુ છે. જેમા ખાસ કરીને ઘરની બહાર લોકો કપડા ધોઈ પાણી રોડ પર વહેવડાવતા હોય, કચરો જાહેર જગ્યા પર નાખતા હોય તેવા લોકો સામે નોટીસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે. પાલિકાના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસરા આગામી દિવસોમા રાત્રી સફાઈ તેમજ કોર્મશિયલ દુકાનો બંધ થવાના સમયે ડોર ટુ ડોર સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *