નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઘટનાના દ્રશ્ય મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. મળતી માહિતી અનુસાર, ચોર મોડી બપોરે મંદિરમાં પ્રવેશ્યો અને કોઈની અવરજવર ન હોવાથી તેણે માતાજીની મૂર્તિ પરથી મૂગટ અને મંગળસૂત્ર ઉતારી લીધું. આ સમગ્ર ઘટના શંકાસ્પદ બની છે અને સ્થાનિક ભક્તોમાં રોષ ફેલાયો છે.
મંદિર સમિતિએ તરત જ પોલીસને જાણ કરી, અને CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસમાં લાગી છે અને આશા છે કે ઝડપથી આરોપી ઝડપાઈ જશે.
આ પહેલા પણ નરોલીમાં ચોરીની ઘટના બની હતી જેના ચોરોને પણ પોલીસ હજી સુધી પકડી શકી નથી.