
પંચમહાલ જીલ્લાના શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારમાં હનુમાન જંયતિની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા ના બોરીયા ખાતે આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે હોમ હવન તેમજ ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આજે ચૈત્રી પુનમ અને શનિવારનો અનોખો સંગમ સર્જાયો છે. પંચમહાલ જીલ્લાના શહેરા નગર અને ગ્રામીણ વિસ્તારમાં હુનુમાન જંયતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરાનગરમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરા તાલુકાના બોરીયા ગામે સંકટમોચન હનુમાનજીનુ મંદિર આવેલુ છે. સવારથી મંદિરે આસપાસનો લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. ગ્રામજનો દ્વારા મંદિર ખાતે હોમ હવન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિવિધ અનુસાર હોમ હવન કરવામાં આવ્યો હતો, સાથે સાથે મહાપ્રસાદીનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
પંચમહાલ શહેરા થી વિજયસિંહ સોલંકી..