ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલ મુહિમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરના ભોગ બનેલ વ્યકિતઓને સીધો ન્યાય મળે તેવા ઉદ્દેશથી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમનું સુચન જારી કરી, સુચનના પગલે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ વિ.એમ ડોડીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યાં છે
જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા વ્યાજ ચક્રની વિષ ફસાયેલા એક મજુર વ્યક્તિ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવ્યું હતું કે પોતાની સગાઇ વખતે જામકંડોરણાના ગોકુલધામ રહેતો અને વ્યાજ વટાવનો ધંધો કરતા પરેશ રાઘવ કોયાણી પાસેથી ૧૦ % વ્યાજના દરેથી ૩૦,૦૦૦ પોતાના મિત્ર પાસેથી સોનાના દાગીના ઉપર લીધાં હતાં એક વર્ષ ના ૧૦% લખે તમને ૩૬૦૦૦ ભરી દીધાં છે. છ મહિનાનું વ્યાજ બાકી છે. જ્યારે સોનાના દાગીના પરત માંગ્યા તો આ વ્યાજખોરો પરેશ જણાવ્યું કે “પહેલાં મારી મુળ રકમ છે તે, અને મહિનાનું વ્યાજ ભરી જાય પછી તારા દાગીના મળશે નહીંતર દાગીના મળશે નહીં.” વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા અરજદારની અરજીના પગલે જામકંડોરણા ના પોલીસ સ્ટેશન પીએસઆઇ વિ.એમ.ડોડીયા, એ.એસ.આઈ. મનજીભાઈ ચૌહાણ હેડ.કોન્સ. રામભાઇ રાડા દ્રારા ગુજરાત નાણાં ધિરાણ કરનારાઓ બાબતનો અધિનિયમ-૨૦૧૧ની કલમ ૪૦,૪૨(ક)(ઘ) મુજબ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તકે જામકંડોરણાના પીએસઆઇ વિ.એમ. ડોડીયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા લોકોએ સામે આવીને પોલીસની મદદ લેવી જોઈએ. જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ